જામનગર નવાનગર બેન્ક સ્ટાફ સોસાયટી દ્વારા રાશન કિટ નુ વિતરણ

જામનગર,

નવાનગર કો – ઓપ. બેન્ક લિમિટેડ રણજીત નગર ના મેનેજર અજય આર. શેઠ ના મુજબ કિટમાં ૫ કિલો ઘઉં નો લોટ, ૨ કિલો ચોખા, ૨ કિલો ખાંડ, ૧ કિલો તુવેર દાળ, ૧ કિલો મગ દાળ ….આ પ્રમાણે ૪૪ કિટો બનાવી જરૂરતમંદ લોકો ને…. વિતરણ કરવામાં આવ્યું .

અને નવાનગર કો.ઓપ બેન્ક લિમિટેડ ના બઘા સ્ટાફ સેનેટાઈઝર થી હાથ સાફ કરી અંદર આવે છે. આજ રીતે બેન્ક ના ખાતા ધારકો માટે પણ સુરક્ષા દળો દ્વારા સેનેટાઈઝર થી હાથ સાફ કરાવી લોકો વચ્ચેનું સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવામાં આવે છે.

મેનેજર અજયભાઈના જણાવ્યા અનુસાર કિટ લેનાર નો આત્મા દુભાય નહિ એટલા માટે કિટ લેનાર નો કિટ લેતા ફોટા પડ્યા નથી. અન્નદાન એ જ શ્રેષ્ઠતમ દાન છે અને કોરોના મહામારી ના કારણે જરૂરતમંદ લોકો ને માટે બહુ જ જરૂરી છે.

રિપોર્ટર : હિનાબેન અગ્રાવત, જામનગર

 

Related posts

Leave a Comment